લગ્ન-નોંધણી અંગેની સંપૂર્ણ માહિતી

⚙ લગ્ન નોધણી કાયદા મુજબ લગ્ન-નોંધણી અધિકારીઓ (લગ્નરજિસ્ટ્રાર) ક્યા કયા છે?
  • રાજ્ય સરકાર દ્વારા બહાર પડાયેલ હુકમ નં.જી.પી.૩/૨૦૦૮ તા.૧-૧-૨૦૦૮ અનુસાર ગુજરાત લગ્ન-નોંધણી અધિનિયમ હેઠળ નીચેના સત્તાધિકારીઓની લગ્ન-નોંધણી કરવા માટે લગ્ન રજિસ્ટ્રાર તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.
ક્રમ કાર્યક્ષેત્રવિસ્તાર લગ્ન-નોંધણીરજિસ્ટ્રાર
ગ્રામપંચાયત (જૂથપંચાયતસહિત) હેઠળનો વિસ્તાર જે તે ગ્રામપંચાયતના સેક્રેટરી (તલાટી-કમ-મંત્રી)
મ્યુનિસિપલબરો ચીફઓફિસર
નગરપાલિકા ચીફ ઓફિસર અથવા આરોગ્ય અધિકારી
મહાનગરપાલિકા તબીબી અધિકારી (આરોગ્ય)
વન વિસ્તારો ફૉરેસ્ટર
નોટીફાઈડ એરીયા મુખ્ય કારોબારી અધિકારી
  • કલમ-૩ મુજબ એકથી વધારે રજિસ્ટ્રાર ઠરાવેલ વિસ્તાર માટે નિયુક્ત કરી શકાય છે તેથી સમગ્ર તાલુકા માટે સંબંધિત તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી તાલુકા લગ્ન-નોંધણી રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત થયેલ છે. સમગ્ર જિલ્લા વિસ્તાર માટે જિલ્લા લગ્ન-નોંધણી રજિસ્ટ્રાર તરીકે સંબંધિત જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નિયુક્ત કરાયેલ છે. રાજ્ય કક્ષાએ કમિશનરશ્રી, આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ લગ્નોના રજિસ્ટ્રાર જનરલ તરીકે નિયુક્ત થયેલ છે. સમગ્ર રાજયના વિસ્તાર માટે લગ્નોના નાયબ રજિસ્ટ્રાર જનરલ તરીકે કમિશનરશ્રી (આરોગ્ય)ની કચેરીના અધિક નિયામક (આંકડા) અને સહાયક નાયબ રજિસ્ટ્રાર જનરલ તરીકે નાયબ નિયામક (આંકડા)ની નિયુક્તિ રજિસ્ટ્રાર તરીકે સરકારશ્રી દ્વારા કરાયેલ છે. ટૂંકમાં, જન્મ-મરણ-નોંધણીની કામગીરી કરતા તંત્રને ગુજરાત લગ્ન-નોંધણી અધિનિયમ-૨૦૦૬ હેઠળ લગ્ન-નોંધણીની કામગીરી સોંપાયેલ છે.
⚙ લગ્ન-નોંધણી માટેની કાર્યરીતિ આખી પ્રક્રિયા સમજાવો:
  1. ગુજરાત લગ્ન-નોંધણી અધિનિયમ હેઠળ લગ્ન નોંધાવવા ફરજિયાત છે તેથી લગ્ન થયાના 30 દિવસમાં ઠરાવેલા નમૂનામાં બે નકલમાં, લગ્ન-નોંધણી યાદી તૈયાર કરી જરૂરી સાધનિક કાગળો સાથે લગ્ન જે સ્થળે થયાં હોય તે સ્થળ જે લગ્ન-નોંધણી રજિસ્ટ્રારના કાર્યક્ષેત્રમાં આવતું હોય તેને પહોંચાડવાની રહે છે.
  2. લગ્ન-નોંધણી કરાવવા ચૂક કરનાર દંડને પાત્ર થશે પરંતુ લગ્ન અમાન્ય ગણાશે નહિ.
  3. લગ્ન બાદ લગ્ન યાદી ૩૦ દિવસમાં રજૂ થઈ હોય તો લગ્ન-નોંધણી યાદી સાથે રૂા. ૫/-, 30 દિવસ બાદ પરંતુ લગ્ન તારીખથી ૩ માસમાં રજૂ થઈ હોય તો રૂા. ૧૫/- અને લગ્ન તારીખથી ૩ માસ બાદ રજૂ થઈ હોય તો રૂા. ૨૫/-ની ફી લગ્ન-નોંધણી યાદી સાથે ચૂકવવી જરૂરી છે. જે સબબ લગ્ન-નોંધણી રજિસ્ટ્રારે આ માટે નિયત કરાયેલ પહોંચ સંબધિતને આપવાની છે.
  4. લગ્ન નોંધાવવા ઇચ્છનારે લગ્ન-નોંધણી યાદી સંપૂર્ણ રીતે શાહીથી લખીને બે નકલમાં નીચેના કાગળો સાથે લગ્નસ્થળના લગ્ન-નોંધણી રજિસ્ટ્રારને મોકલવાની રહેશે.
    1. બંને પક્ષકારો તથા સાક્ષીના ઓળખનો પુરાવો (રેશનકાર્ડ, ઇલેકશન કાર્ડ, પાસપોર્ટ, નોકરીએ રાખનારે આપેલ ઓળખપત્ર, આ પૈકી કોઈ પણ એક)ની ઝેરોક્ષ નકલ અરજી સાથે રજૂ કરીઅસલ રૂબરૂ ખાતરી કરવા રજૂ કરવા
    2. જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર (બન્ને પક્ષકારોનુ-ઉમરના પુરાવા તરીકે) ઝેરોક્ષ નકલ સામેલ રાખી અસલ રૂબરૂ બતાવવું
    3. લગ્નની આમંત્રણ પત્રિકા (જો હોય તો).
    4. લગ્ન-નોંધણી માટે પક્ષકારો અને સાક્ષીની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે રજિસ્ટ્રારને જરૂરી લાગે અને રજિસ્ટ્રાર માંગે તેવા અન્ય દસ્તાવેજો પણ લગ્ન યાદી સાથે જોડવાના રહેશે.
    5. નમૂના-૧ મુજબની અરજી-આ અરજી ઉપર રૂા. ત્રણની કોર્ટ ફી ટિકિટ ચોટાડીને આપવાની છે.
    6. લગ્ન-નોંધણી યાદી ઉપર મુંબઈ સ્ટૅમ્પ અધિનિયમ-૧૯૫૮ મુજબ રાજ્ય સરકારે નક્કી કર્યા મુજબનો એગ્રીમેન્ટ સ્ટમ્પ લગાવવાનો રહેશે. હાલમાં મુંબઈ સ્ટૅમ્પ અધિનિયમ, ૧૯૫૮ હેઠળ લગ્ન-નોંધણી યાદીની પ્રત્યેક નકલ પર રૂ. ૧૦૦/-નો એગ્રીમેન્ટ સ્ટેમ્પ લગાવવાનું ધોરણ છે. લગ્ન-નોંધણી યાદી બે નકલમાં રજૂ કરવાની હોઈ, પ્રત્યેક પ્રત પર રૂ. ૧૦૦/-નો એક એક એગ્રીમેન્ટ સ્ટેમ્પ લગાવવાનો થશે.
  5. લગ્ન રજિસ્ટ્રારે તેને રજૂ થયેલ લગ્ન નોંધણી યાદી અને અરજીની સંપૂર્ણ ચકાસણી કરવાની છે અને ત્યાર બાદ જ સંપૂર્ણ રીતે બધી શરતો કાયદા-નિયમોનુ પાલન થાય છે તેની ખાતરી થયા બાદ જ યાદી ફાઇલ કરી લગ્ન પ્રમાણપત્ર આપવાનુ છે.
    📌 નોંધ: લગ્ન યાદી રજૂ થયેથી ચકાસણીમાં કઇ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી?
    • લગ્ન યાદી બે નકલમાં અને અરજી ઠરાવેલ નમૂનામાં છે તે સાથે ઠરાવેલ સ્ટેમ્પ અને ફી રજૂ થયેલ છે અને કાગળોમાં તમામ વિગતો સંપૂર્ણ રીતે પૂરેપૂરી વિગતથી શાહીથી લખેલી છે અને સંબંધકર્તાની સહી અને તારીખ લખેલ છે.
    • રજૂ થયેલ પક્ષકારો અને સાક્ષીઓની ઓળખ અને રહેઠાણના પુરાવા સહી અને પક્ષકારો (વર-કન્યા)ના જન્મતારીખના પુરાવા ચકાસી બરાબર જણાય છે.
  6. રૂબરૂમાં ક્ષતિ-પૂર્તિ થઈ શકે તેમ ન હોય તો રજિસ્ટ્રારે પક્ષકારો-સાક્ષીઓને વધુ વ્યાજબી સમય આપી પૂર્તતા કરવા જણાવવું.
  7. નોંધણી માટે રજૂ થયેલ કાગળો ચકાસતાં બરાબર જણાય અથવા માગેલ પૂર્તતા થયેલ હોય ત્યારે નોંધણીપાત્ર લગ્ન-નોંધણીની યાદીના પાછળના પાને શેરો કરવો.
  8. સ્ટૅમ્પ રદ કરવો: ઉપરની કાર્યવાહી પૂરી થયે સંપૂર્ણ ચકાસણી કરેલ લગ્ન નોંધણી યાદી પર લગાડેલ એગ્રીમેન્ટ સ્ટેમ્પ પર બન્ને નકલમાં આડી લીટી દોરી રદ કરવો, જેથી સ્ટેમ્પનો પુનઃ ઉપયોગ/દુરુપયોગ થઈ શકે નહીં.
⚙ લગ્ન પ્રમાણપત્ર બનાવતી વખતે કયા મુદ્દા ધ્યાન પર રાખવા જોઇએ?
  1. લગ્ન પ્રમાણપત્ર નમૂના-૨ મુજબ છાપેલા ફોર્મમાં સહી-સિક્કા સાથે તૈયાર કરી આપવું. તે પણ કાયમી દસ્તાવેજ હોવાથી શાહીથી (શક્ય હોય તો કાળી શાહીથી) લખીને આપવું.
  2. આ પ્રમાણપત્ર બે નકલમાં તૈયાર કરી એક નકલ અરજદારને આપી બીજી નકલ લગ્ન પ્રમાણપત્ર રજિસ્ટરમાં ફાઇલ કરવાની છે.
  3. લગ્ન-નોંધણી પ્રમાણપત્રમાં દરેક વર્ષે ૧લી જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના સમયના કેલેન્ડર વર્ષ માટે તે સળંગ નંબર આપવાના છે અને આ નંબર પછી/(ઊભી લીટી) કરીને વર્ષ દર્શાવવું.
  4. આ પ્રમાણપત્રને આપેલ ક્રમ અરજદારને આપેલ અને રજિસ્ટ્રારે દફતરે રાખેલ બન્ને નકલોમાં એક સરખો જ હોવો જોઈએ.
  5. રજિસ્ટ્રારે ક્રમાનુસાર ઇસ્યુ થયેલ લગ્ન-નોંધણી પ્રમાણપત્ર ક્રમાનુસાર ફાઇલમાં રાખી તેની ઉપર અદ્યતન અનુક્રમણિકા જાળવવી. વર્ષાન્તે બાઈન્ડ કરાવી અને આ રજિસ્ટર જાળવવાનું રહેશે. રજિસ્ટરનું કદ મોટું હોય તો તેને ભાગમાં વહેંચી શકાશે.
⚙ લગ્ન નોંધણી માટે રજૂ થયેલ યાદી કેવી રીતે સાચવવી જોઇએ?
  1. રજિસ્ટ્રારને લગ્ન-નોંધણી યાદી પક્ષકારો તરફથી બે નકલમાં મળે છે. આ બે નકલમાંથી એક નકલ લગ્ન-નોંધણી રજિસ્ટ્રારે રજિસ્ટ્રાર જનરલને મોકલવાની રહે છે. બીજી નકલ તેઓએ તેઓ દ્વારા નિભાવાતા લગ્ન રજિસ્ટ્રારે પેસ્ટ કરવાની રહે છે. રજિસ્ટ્રારે તેમની પાસે રાખવાની નકલને એક ફાઈલમાં અનુક્રમણિકા તૈયાર કરી પ્રથમ પાને મૂકવી તથા તેની નીચે ક્રમાનુસાર લગ્ન-નોંધણી ફાઈલ કરતા રહેવી તથા અનુક્રમણિકા અદ્યતન કરતા રહેવું. આ ફાઈલ થયેલ લગ્નયાદીઓ જે તે વર્ષ પૂરું થયા પછી અનુક્રમણિકા સાથે બાઈન્ડિંગ કરાવી જાળવવી.
  2. આ રીતે તૈયાર થયેલ રજિસ્ટર કાયમી રૅકર્ડ હોવાથી તેને યોગ્ય રીતે સાચવવા.
  3. વર્ષ દરમિયાન મળેલ લગ્ન-નોંધણી યાદીઓ વધારે હોય તો આ રજિસ્ટરને ભાગમાં પણ વહેંચીશકાશે, એટલે કે ત્રણ કે ત્રણ માસ, છ માસ કે એક માસની યાદીઓ માટેની ફાઇલ અલગ-અલગ બાઈન્ડિંગ કરાવી શકાય.
⚙ લગ્ન નોંધણી યાદીની બીજી નકલ રજિસ્ટ્રાર જનરલને મોકલવા બાબતે ધ્યાનમાં રાખવાના મુદા:
  • લગ્ન-નોંધણી રજિસ્ટ્રારે તેઓને માસ દરમિયાન મળેલ અને તેઓએ ફાઇલ કરેલ લગ્ન-નોંધણી યાદીની બીજી નકલ, છેલ્લી લગ્ન-નોંધણી યાદીની પાછળના પાને શેરો કરી, માસિક લગ્ન-નોંધણી અહેવાલ સાથે, રજિસ્ટ્રાર જનરલને મોકલવા માટે તાલુકા રજિસ્ટ્રારને મોકલી આપવાની રહેશે.
  • લગ્ન-રજિસ્ટ્રારે માસ દરમિયાન તેઓ દ્વારા ફાઈલ થયેલ લગ્ન યાદી અંગેના અહેવાલ લગ્ન યાદીની બીજી નકલ સાથે અહેવાલ હેઠળના માસની બીજી તારીખ સુધીમાં તાલુકા રજિસ્ટ્રાર (લગ્નની નોંધણી) એટલે કે તાલુકા વિકાસ અપિકારીશ્રીને મોકલવાના રહેશે.
⚙ ભૂલથી પોતાના કાર્યક્ષેત્રની બહારની લગ્ન નોંધણી યાદી રજિસ્ટ્રાર કચેરીએ રજૂ થાય તો શું કરવું?
  • ફાઈલ થયેલ શેરા સાથેની લગ્ન-નોંધણી યાદીની પ્રમાણિત નકલ સંબંધિત કાર્યક્ષેત્રના રજિસ્ટ્રારને મોલશે.
  • સંબંધિત પક્ષકારને તેની જાણ કરશે.
  • લગ્ન-સબંધી યાદી પર તેણે કરેલ કાર્યવાહી અંગે તથા તેની રજિસ્ટરમાંથી લગ્ન-નોંધણી રદ કરવા અંગે જરૂરી શેરો કરશે.
  • જે રજિસ્ટ્રારના કાર્યક્ષેત્રમાં લગ્ન-નોંધણી કરવાની થશે તે લગ્ન રજિસ્ટ્રાર નવી વધારાની ફી લીધા સિવાય લગ્ન-નોંધણી કરશે અને તેણે કરેલ કાર્યવાહીનો અહેવાલ રજિસ્ટ્રાર જનરલને મોકલશે.
⚙ લગ્ન-નોંધણી રજિસ્ટર કેવી રીતે નિભાવવું જોઇએ?
  • રજિસ્ટ્રારે નમૂના-૪ મુજબ લગ્ન રજિસ્ટર સુવાચ્ય અક્ષરે છેકછાક વિના સારી હાલતમાં અદ્યતન રાખવાનું છે.
  • આ રજિસ્ટરમાં લગ્ન-નોંધણી અને લગ્ન-નોંધણી નકાર્યાની વિગતો સળંગ ક્રમે નોંધવાની રહેશે. પરંતુ લગ્ન-નોંધણી નકારાઈ હોય તેવા કિસ્સામાં કોલમ-૧૦ની વિગતો લાલ કલરની બોલપેનથી ભરવાની રહેશે, અથવા તો લગ્ન-નોંધણી નકાર્યા અંગેની માહિતી આ જ રજિસ્ટરમાં થોડા પાનાં અલગ રાખીને પણ નોંધી શકાશે.
  • રજિસ્ટરના પ્રથમ પાને, રજિસ્ટર કેટલાં પાનાં ધરાવે છે અને કઈ તારીખે મળ્યું છે તે અંગે જરૂરી પ્રમાણપત્ર લગ્ન રજિસ્ટ્રારે આપવાનું રહેશે.
⚙ લગ્ન-નોંધણી કરવા બાબતે ઈન્કાર કરવાનો થાય તો કેવી રીતે થઇ શકે ?
  • લગ્ન-નોંધણી રજિસ્ટ્રારે તેઓને રજૂ થયેલ લગ્ન-નોંધણી યાદી પરથી તેઓને સંતોષ ન થાય તો તે ગુજરાત લગ્ન-નોંધણી અધિનિયમ-૨૦૦૬ની કલમ ૮ અને નિયમ-૪(૭) હેઠળ લગ્ન-નોંધણીનો ઈન્કાર કરી શકશે. રજિસ્ટ્રારને દસ્તાવેજોની ચકાસણીથી અથવા તો બીજી રીતે ધ્યાનમાં આવેલ અથવા તો ધ્યાને લેવાયેલ હકીક્ત પરથી જણાય કે પક્ષકારોએ રજૂ કરેલ લગ્ન-નોંધણી યાદી તેઓના અંગત કાયદાને અનુસરીને રજૂ થયેલ નથી તો ઇન્કાર કરી શકશે. પક્ષકારો કે સાક્ષીઓની ઓળખ પ્રસ્થાપિત કરતા પુરાવા બાબતે અને લગ્નવિધિ બાબતે તેઓનો શંકા જાય કે રજૂ થયેલ દસ્તાવેજો પક્ષકારોનો લગ્નવિષયક દરજ્જો સાબિત કરવામાં નિષ્ફળ જતાં જણાય તો રજિસ્ટ્રારે બન્ને પક્ષકારોને રૂબરૂ બોલાવી સાભળવા અને સાંભળ્યા પછી કારણોની લેખિત નોંધ કરી લગ્ન-નોંધણીનો ઈન્કાર કરવો જો કે લગ્ન-નોંધણીનો ઈન્કાર કરતા પહેલા તેમને યોગ્ય લાગે તો પક્ષકારો દ્વારા રજૂ થયેલ દસ્તાવેજોની ખરાઈ માટે સ્થાનિક પોલીસ સ્ટેશનને મોકલી શકશે. વધુ ખરાઈ બાદ રજિસ્ટ્રારને લગ્ન-નોંધણીમાં વાઘો ન જણાય તો લગ્ન-નોંધણી કરી શકશે અને તેઓના અભિપ્રાય મુજબ લગ્ન-નોંધણી યોગ્ય ન હોય તો તે માટેનાં કારણો નોંપી નમૂના-3માં લગ્ન-નોપણીનો ઈન્કાર કરતો હુકમ કરી તેની એક નકલ અરજદારને આપશે અને તેની બીજી નકલ રજિસ્ટ્રાર જનરલને મોકલી આપશે.
⚙ લગ્ન રજિસ્ટ્રાર અને રજીસ્ટાર જનરલના હુકમ સામે અપીલ કેવી રીતે થઇ શકે છે?
  • રજિસ્ટારના લગ્ન-નોંધણી ઈન્કારના હુકમ સામે રજિસ્ટ્રાર જનરલને લગ્ન-નોંધણી અધિનિયમની કલમ ૯ અંતર્ગત હુકમ મળ્યાની તારીખથી ૩૦ દિવસમાં નિર્ધારિત રૂ. ૧૦૦/- ની કી સાથે પક્ષકાર અપીલ કરી શકશે. રજિસ્ટાર જનરલ સંબંધિત પક્ષકારોને સાંભળીને લેખિત કારણોની નોંધ કરી જો લગ્ન નોંધવા યોગ્ય જણાશે તો લગ્ન-નોંધણી માટે લગ્ન-નોંધણી રજિસ્ટ્રારને આદેશ કરશે અને રજિસ્ટ્રારનો હુકમ તેમને યોગ્ય જણાય તો તેને બહાલ રાખતો હુકમ કરશે.
  • રજિસ્ટ્રાર જનરલના નિર્ણય સામે અપીલ : રજિસ્ટ્રાર જનરલના હુકમથી નારાજ પક્ષકાર હુકમની તારીખથી ૩૦ દિવસમાં લગ્ન રજિસ્ટ્રારની કચેરી જે જિલ્લાની કોર્ટના કાર્યક્ષેત્રમાં આવતી હોય તે જિલ્લા કોર્ટમાં અપીલ કરી શકશે અને આ અપીલ ઉપર જિલ્લા કોર્ટે આપેલ આદેશને આખરી ગણી રજિસ્ટ્રારે કોર્ટના હુકમને સુસંગત કાર્યવાહી કરવાની રહેશે.
⚙ લગ્ન રજિસ્ટરની તપાસણી અને તેના પ્રમાણિત ઉતારા/લગ્ન-નોંધણી સંબંધી દસ્તાવેજોની પ્રમાણિત નકલો મેળવવાની પ્રક્રિયા સમજાવો
  • લગ્ન-નોંધણી સંબંધી દસ્તાવેજોની પ્રમાણિત નકલો મેળવવા માટે નિયમ ૧૭ અન્વયે નમૂના-૫માં સંબંધિત લગ્ન રજિસ્ટ્રારને નીચે જણાવેલ કી સાથે લેખિત અરજી આપવી.
  • લગ્ન રજિસ્ટર વ્યાજબી સમયે લોકોને તપાસવા માટે ખુલ્લું રાખવું જોઈએ. અરજી કર્યેથી, નિયત કી ભર્યેથી તેના પ્રમાણિત ઉતારા રજિસ્ટારે અરજદારને આપવાના રહેશે.

(૧) લગ્નનું રજિસ્ટર તપાસવા માટેનાં ફીનાં ધોરણો

  • ચાલુ વર્ષનું :

    ३.૧૫/-

  • અગાઉના વર્ષ માટે :

    ३.૧૫/-

  • ઉપરાંત પ્રત્યેક વર્ષ માટે :

    ३.૫/-

  • લગ્ન-નોંધણીના 'નો રૅકડ' પ્રમાણપત્ર માટે :

    ३.૨૫/-

(૨) પ્રમાણિત નકલો મેળવવા માટેની ફી-પ્રતિ નકલ

  • લગ્ન યાદીની નકલ :

    ३.૩૦/-

  • અગાઉના વર્ષ માટે :

    ३.૧०/-

  • લગ્ન-નોંધણીના ઇન્કાર અંગેનો હુકમ :

    ३.૧०/-

  • રજિસ્ટરના ઉતારાની નકલ
⚙ લગ્ન અંગેના રેક્ડની જાળવણી કેટલા સમય માટે કરવાની હોય છે?
  • રજિસ્ટ્રારે નીચેના તમામ રજિસ્ટર કાયમી રેકર્ડ તરીકે જાળવવાના રહેશે.
    • લગ્ન રજિસ્ટર
    • મેરેજ સર્ટિફિકેટ બુક
    • લગ્ન-નોંધણી રજિસ્ટર
  • નીચે દર્શાવેલ રેકર્ડ તેની સામે દર્શાવેલ મુદત સુધી જણાવવાના રહેશે અને મુદત પૂરી થયા બાદ તેનો નાશ કરવાનો રહેશે
    • પહોંચ બુક

      ૫ વર્ષ

    • નોંધણી યાદી રજિસ્ટ્રાર જનરલને મોકલ્યા અંગેની ટપાલ ખાતાની પહોંચ

      ૫ વર્ષ

    • રજિસ્ટરનો ઉતારો મેળવવા માટેની અરજીઓ

      ૫ વર્ષ

    • કોરા ફોર્મ અને બુક્સના હિસાબો

      ૩ વર્ષ

    • કેશ બુક

      ૫ વર્ષ

    • ઉપર દર્શાવેલ રેકર્ડસિવાયના રજિસ્ટરો તથા અરજીઓ

      ૨ વર્ષ

⚙ લગ્ન રજિસ્ટાર પોતાની ફરજ બજાવવામાં કસૂર ઠરે તો તે અંગે શું જોગવાઇ કરવામાં આવી છે?
  • જે કોઈ વ્યકિત કલમ-૫થી ફરમાવ્યા પ્રમાણે નોંધણી યાદી પહોંચાડવામાં ચૂક કરે અથવા બેદરકારી દાખવે અથવા નોંધણી યાદીમાં કોઈ મહત્ત્વની વિગત અંગે ખોટું નિવેદન કરે, ખોટું હોવાનું જાણતો હોય અથવા તેમ માનવાને કારણ હોય, તેને દોષિત થયે રૂ. ૧,૦૦૦/-સુધીના દંડની શિક્ષા.
  • કલમ-૫ અથવા ૬ અનુસાર નોંધણીની યાદી ફાઈલ કરવામાં જાણીબૂઝીને કસૂર કરે તેવા કોઈ રજિસ્ટ્રારને દોષિત ઠર્યે, ત્રણ મહિના સુધીની કેદ અને રૂ. ૧,૦૦૦/- સુધીનો દંડ અથવા બંને.
  • લગ્નનું રજિસ્ટર અથવા તેનો કોઈ ભાગ છુપાવતી, તેનો નાશ કરતી, અપ્રમાણિકતાથી કે કપટપૂર્વક તેમાં ફેરફાર કરતી કોઈ વ્યક્તિને દોષિત કર્યું, બે વર્ષ સુધીની કેદ અથવા રૂ. ૧૦,૦૦૦/- સુધીનો દંડ અથવા બને.
  • શુદ્ધબુદ્ધિથી કરેલા અથવા કરવાનું અભિપ્રેત તેવા કોઈ કૃત્ય માટે રજિસ્ટ્રાર અથવા તેના તાબાના કોઈ કર્મચારી વિરુદ્ધ કોઈ દાવો, ફોજદારી કે બીજી કોઈ કાનૂની કાર્યવાહી થઈ શકશે નહીં.